ટેરર ફન્ડિંગ કેસ: દિલ્હીના ગવર્નર સક્સેનાએ આપ સામે NIA તપાસની માંગ કરી
- 06 May, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા શીખ ફોર જસ્ટિસ નામની આતંકી સંસ્થા પાસેથી ફન્ડિંગ મેળવાતું હોવાની ફરિયાદ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મંત્રી અને આપ નેતાએ કહ્યું કે સૌરભ ભારદ્વાજએ બીજેપીના એજન્ટ છે.
ભારદ્વાજે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ભાજપ દ્વારા કરવામાં આવેલું આ બીજં મોટું ષડયંત્ર છે. બીજેપી દિલ્હીમાં તમામ બેઠકો ગુમાવી રહી છે. તેના કારણ તે નારાજ છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારનું ષડયંત્ર બીજેપીએ પંજાબની વિધાનસભા ચૂંટણી પહેલા પણ કર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ